Tuesday, April 20, 2010

સંતાન આવવામાં વિલંબનું કારણ શું?

સંતાન આવવામાં વિલંબનું કારણ શું?

ગુરુ જો પંચમ ભાવમાં સ્થિત હોય તો સંતાન આવવામાં વિલંબ થઇ શકે છે. જો પતિ કે પત્ની બેમાંથી એકને ગુરુની મહાદશા હોય તો વિવાહના સોળેક વર્ષ બાદ સંતાન થવાની સંભાવના રહે છે.

krishnaમા બનવું એ દરેક સ્ત્રીનું સપનું હોય છે. પરંતુ કેટલાય પ્રયાસો અને અધુરી જાણકારીને કારણે આ સ્વપ્ન મોડું પૂર્ણ થાય છે, તો કેટલાક કિસ્સાઓમાં સપનું સપનું બનીને જ રહી જાય છે. ક્યારેક ગર્ભ રહેવાના થોડા જ મહિનાઓમાં ગર્ભસ્રાવ થઇ જાય છે. બાળક ન જન્મી શકવાના આવા દસ કારણો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે.

તેમાં જો શરુઆતના નવ કારણો ન હોય તો દસમું કારણ જ્યોતિષ સંબંધિત માનવામાં આવે છે. જન્માક્ષરમાં જો પાંચમો ભાવ રાહુ, ગુરુ, શનિથી ગ્રસ્ત હોય અથવા તેના પર કોઇ શુભ ગ્રહની દ્રષ્ટિ ન પડતી હોય તો સંતાન ઉત્પત્તિમાં મુશ્કેલી સર્જાય છે, અથવા ગર્ભસ્રાવ થાય છે. આવા સંબંધિત ગ્રહોના ઉપચારથી સંતાન પ્રાપ્તિ સરળ બને છે.

ગુરુ જો પંચમ ભાવમાં સ્થિત હોય તો સંતાન આવવામાં વિલંબ થઇ શકે છે. જો પતિ કે પત્ની બેમાંથી એકને ગુરુની મહાદશા હોય તો વિવાહના સોળેક વર્ષ બાદ સંતાન થવાની સંભાવના રહે છે. પંચમ ભાવમાં જો ગુરુની દ્રષ્ટિ હોય તો લગ્નના 8-10 વર્ષો બાદ સંતાન પ્રાપ્ત થાય છે. રાહુ કે શનિ યુક્ત પંચમ સ્થાન વારંવાર ગર્ભસ્રાવ કે હિનતાનું કારણ બની શકે છે.

No comments: